Skip to content

← નરસિંહ મહેતા

पद · प्रभातिया · गुजराती भक्ति

વૈષ્ણવ જન તો

वैष्णव की परिभाषा

વૈષ્ણવ જન તો તેને કહીએ, જે પીડ પરાઈ જાણે રે।પર દુઃખે ઉપકાર કરે તોયે, મન અભિમાન ન આણે રે॥

સકળ લોકમાં સહુને વંદે, નિંદા ન કરે કેની રે।વાચ કાછ મન નિશ્ચલ રાખે, ધન ધન જનની તેની રે॥

સમદૃષ્ટિ ને તૃષ્ણા ત્યાગી, પરસ્ત્રી જેને માત રે।જિહ્વા થકી અસત્ય ન બોલે, પરધન નવ ઝાલે હાથ રે॥

વણ લોભી ને કપટ રહિત છે, કામ ક્રોધ નિવાર્યાં રે।ભણે નરસૈંયો તેનું દર્શન કરતાં, કુળ એકોતેર તાર્યાં રે॥

In English

Call that person a Vaishnav who feels another’s pain as their own — who helps the suffering and keeps no pride in it. Who bows to everyone and slanders no one; who is steady in word, deed and mind — blessed is the mother of such a one.

About this work

वैष्णव कौन है — इसका उत्तर पूजा से नहीं, आचरण से दिया गया पद। इसीलिए यह भजन एक धार्मिक पद से आगे बढ़कर एक नैतिक कसौटी बन गया।

Source and citation

लोक-प्रचलित पाठ, जो अब सार्वजनिक अधिकार-क्षेत्र में है। पाठान्तर सम्भव हैं।

Cite this poem

Copy a ready-made citation, or adapt it to your style guide.

MLA 9 Narsinh Mehta. “વૈષ્ણવ જન તો.” Mansarovar Sahitya, https://www.mansarovarsahitya.in/poems/poem-vaishnav-jan/. Accessed 8 Aug. 2026.
Chicago 17 Narsinh Mehta. “વૈષ્ણવ જન તો.” Mansarovar Sahitya. Accessed August 8, 2026. https://www.mansarovarsahitya.in/poems/poem-vaishnav-jan/.
Reference નરસિંહ મહેતા। «વૈષ્ણવ જન તો»। Mansarovar Sahitya, https://www.mansarovarsahitya.in/poems/poem-vaishnav-jan/।
Suggest a correction